ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 1. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજયો | std-7 [social-science] 1. rajputyug : nava shasako ane rajyo

ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 1. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજયો [std 7 social science chapter 1. rajputyug : nava shasako ane rajyo] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 samajik vigyan path 1. rajputyug : nava shasako ane rajyo] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-7-social-science-1-rajputyug-nava-shasako-ane-rajyo-eclassguru

std 7 social science chapter 1. rajputyug : nava shasako ane rajyo imp notes, std 7 social science ekam 1. rajputyug : nava shasako ane rajyo ni samjuti, std 7 social science ch 1. rajputyug : nava shasako ane rajyo swadhyay na javabo (solutions), std 7 social science path 1. rajputyug : nava shasako ane rajyo swadhyay pothi na javabo (solutions), std 7 social science unit 1. rajputyug : nava shasako ane rajyo ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 7 social science chapter 1. rajputyug : nava shasako ane rajyo swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
(1) રાણીની વાવ કોણે બંધાવી હતી ?
જવાબ - 1 : રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતિએ બંધાવી હતી.

(2) ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા ?
જવાબ - 2 : ચૌહાણવંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા.

(3) અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ - 3 : વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

(4) વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો ?
જવાબ - 4 : વાઘેલાવંશનો છેલ્લો શાસક કર્ણદેવ હતો.

2. (અ) ટૂંક નોંધ લખો :
(1) રાજપૂતોના ગુણો
જવાબ - 1 : રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં.

(2) રાજપૂતયુગનું વેપાર-વાણિજ્ય
જવાબ - 2 : રાજપુતયુગમાં વેપાર-વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો ‘છઠ્ઠો’ ભાગ હતો. રાજપુતયુગમાં જમીન પરનો કર ‘ભાગ’ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદોરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ (ખંભાત) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો જાણીતા હતા.

2. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોનાં નામ જણાવો.
જવાબ - 1 : ઉત્તર ભારતના ઘણા રાજ્યવંશોમાના ત્રણ રાજ્યવંશ આ પ્રમાણે છે. (1) ચૌહાણવંશ (2) સોલંકીવંશ (3) ચાવડાવંશ.

(2) દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોનાં નામ જણાવો.
જવાબ - 2 : દક્ષિણ ભારતના ઘણા રાજ્યવંશોમાના ત્રણ રાજ્યવંશ આ પ્રમાણે છે. (1) ચાલુક્યવંશ (2) યાદવવંશ (3) ચોલવંશ.

(3) ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ?
જવાબ - 3 : ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહ હતો. તેનું મૂળ નામ ઝફરખાન હતું.

(4) રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં કયાં-કયાં કાર્યો કર્યા હતાં ?
જવાબ - 4 : રાજમાતા મીનળદેવીએ પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો હતો. ધોળકામાં મલાવ તળાવના બાંધકામનો નિર્ણય તેમનો જ હતો.

3. (અ) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
(1) ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં ?
(A) પુલકેશી બીજાના (B) હર્ષવર્ધનના (C) મિહિરભોજના (D) અશોકના

જવાબ - 1 : (B) હર્ષવર્ધનના

(2) બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું ?
(A) જેજાકભુક્તિ (B) ઉજ્જ્યનિ (C) પ્રતિહારો (D) ચૌલુક્ય

જવાબ - 2 : (A) જેજાકભુક્તિ

(3) માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
(A) કુમારપાળ (B) ભોજ (C) સીયક (D) મુંજ

જવાબ - 3 : (A) કુમારપાળ

(4) આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ?
(A) ચંદેલવંશનું (B) પરમારવંશનું (C) પાલવંશનું (D) પ્રતિહારોનું

જવાબ - 4 : (C) પાલવંશનું

(5) રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ?
(A) ચાવડાવંશના (B) સોલંકીવંશના (C) વાઘેલાવંશના (D) મૈત્રકવંશના

જવાબ - 5 : (B) સોલંકીવંશના

3. (બ) યોગ્ય જોડકાં જોડો :
(અ) રાજ્ય(બ) શાસકો
(1) સેનવંશ(A) નરસિંહ વર્મન બીજો
(2) સોલંકીવંશ(B) ગોવિંદ ત્રીજો
(3) પાલવંશ(C) વિજયસેન પ્રથમ
(4) રાષ્ટ્રકૂટ વંશ(D) ગોપાલ
(5) પલ્લવ વંશ(E) કુમારપાળ
(F) ભોજ

જવાબ - 3 :
(અ) રાજ્ય(બ) શાસકો
(1) સેનવંશ(C) વિજયસેન પ્રથમ
(2) સોલંકીવંશ(E) કુમારપાળ
(3) પાલવંશ(D) ગોપાલ
(4) રાષ્ટ્રકૂટ વંશ(B) ગોવિંદ ત્રીજો
(5) પલ્લવ વંશ(A) નરસિંહ વર્મન બીજો


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post